ADVERTISEMENT
ADVERTISEMENT

Rishabh Pant કે ધ્રુવ જુરેલ, પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર કોણ?

BCCIએ અત્યાર સુધી માત્ર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે જ ટીમની જાહેરાત કરી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની ટીમમાં બે વિકેટકીપરને તક મળી છે. જેમાં રિષભ પંત અને ધ્રુવ જુરેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે રમાવાની છે. જેમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બે ખેલાડીઓમાંથી કોને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે.

અકસ્માત બાદ પંત ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો

ઋષભ પંતનો વર્ષ 2022માં દિલ્હીથી રૂરકી જતી વખતે કાર અકસ્માત થયો હતો. આ પછી તે ખરાબ સમયને પાછળ છોડીને ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો. તે ટી20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમનો સભ્ય હતો. પરંતુ અકસ્માત બાદ તે પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ભૂતકાળમાં પંતે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. ઓસ્ટ્રેલિયાના ગાબા ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે 89 રનની ઇનિંગ રમી અને જીતનો હીરો બન્યો. તે ટેસ્ટમાં પણ ઝડપથી રન બનાવે છે.

રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવન માટે રિષભ પંત પર દાવ લગાવી શકે!

ADVERTISEMENT
ADVERTISEMENT

રિષભ પંતે 2018માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 33 ટેસ્ટ મેચમાં 2271 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 11 અડધી સદી સામેલ છે. પંતે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 119 કેચ લીધા છે અને 14 સ્ટમ્પિંગ કર્યા છે. તેની વિકેટકીપિંગ કુશળતા અદ્ભુત છે અને તેની પાસે અનુભવ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવન માટે રિષભ પંત પર દાવ લગાવી શકે છે.

જુરેલે વર્ષ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું

ADVERTISEMENT
ADVERTISEMENT

ધ્રુવ જુરેલે વર્ષ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાના પરફોર્મન્સથી બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે ટીમ ઈન્ડિયા માટે 3 ટેસ્ટ મેચમાં 190 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં જુરેલે જોરદાર બેટિંગ કરી હતી. ત્યારબાદ તેણે 39 અને 90 રનની ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. તેણે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 5 કેચ અને 2 સ્ટમ્પિંગ કર્યા છે.