ADVERTISEMENT
ADVERTISEMENT

BAN ટેસ્ટ સિરીઝ જીતતાની સાથે જ WTC ફાઈનલમાં પહોંચશે ઈન્ડિયા! જાણો સમીકરણ

હાલમાં વિશ્વની અલગ-અલગ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને એકબીજા સામે સ્પર્ધા કરી રહી છે. ફાઈનલ માટે હજુ પણ ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા છે. કેટલીક ટીમો એવી છે જે રેસમાંથી બહાર છે અને કેટલીક ટીમો એવી છે જે હજુ પણ ફાઈનલની રેસમાં છે. જો આપણે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો હાલમાં ભારત ટોપ પર છે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે.

પરંતુ હજુ સુધી ટીમ ઈન્ડિયાના સ્થાનની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની મેડલ ટેલીની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હાલમાં ટોપ પર છે. ભારતના હાલ 68.52 ટકા પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 62.50 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજા સ્થાને છે. તેના પોઈન્ટ્સની ટકાવારી 50.00 છે. આ સિવાય બાંગ્લાદેશ ચોથા સ્થાને અને શ્રીલંકા પાંચમા સ્થાને છે. ઈંગ્લેન્ડની ટીમ છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ

ટીમ ઈન્ડિયા હવે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ફેન્સના મનમાં મોટો સવાલ એ છે કે જો ભારત બાંગ્લાદેશને તેના હોમગ્રાઉન્ડ પર હરાવશે તો શું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમનું સ્થાન નિશ્ચિત થઈ જશે.જો ટીમ ઈન્ડિયાની 10 ટેસ્ટ મેચ બાકી છે અને જો ભારતીય ટીમ આમાંથી અડધી પણ મેચ જીતી લે તો તે ફાઈનલમાં પહોંચી જશે. એટલે કે બાંગ્લાદેશ સામે વધુ 2 મેચ જીતીને ટીમ ઈન્ડિયાનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે, કારણ કે આ પછી બાકીની 8 મેચમાંથી માત્ર 3 જ જીતવી પડશે અને ભારત માટે આ કોઈ મોટી વાત નથી. બાંગ્લાદેશ બાદ ભારતે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સમય દરમિયાન ટીમની ખરી પરીક્ષા થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT