ADVERTISEMENT
ADVERTISEMENT

તહેવારોની સિઝનમાં ઘરે જ બનાવી લો મોહનથાળ, મહેમાનો ટેસ્ટ કર્યા બાદ ફરીથી માંગશે; જાણો તેને બનાવવાની સરળ રેસીપી

આપણી ત્યાં દરેક તહેવારમાં વિવિધ પ્રકારની મિઠાઈઓ બનાવવામાં આવે છે. મિઠાઈ દરેક વ્યક્તિની મનપસંદ હોય છે. મોહનથાળ (Mohanthal) પણ ખૂબ જ સ્વાદિષ્ઠ મિઠાઈ છે. હવે તહેવારોની સિઝનમાં મિઠાઈની ડિમાન્ડ ઘણી વધી જશે. ત્યારે જો તમે ઘરે જ મિઠાઈ બનાવવા માંગો છો તો આજે અમે તમને ઘરે જ મોહનથાળ બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.

મોહનથાળ બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 2 કપ ચણાનો લોટ
  • 3 કપ દૂધ
  • 1/2 કપ ઘી
  • 1/4 ચમચી એલચી પાવડર
  • 1 કપ ખાંડ
  • કેસરના થોડાક દોરા
  • બદામ, કાજુ (ગાર્નિશિંગ માટે)

મોહનથાળ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ નાખીને સતત હલાવતા રહીને તેને ધીમી આંચ પર શેકી લો.
  • ચણાના લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
  • હવે એક અલગ વાસણમાં દૂધ નાખી ગરમ કરો.
  • દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખીને ઓગાળીને ઉકળવા દો.
  • દૂધ ઉકળે એટલે તેમાં શેકેલા ચણાનો લોટ ધીમે ધીમે ઉમેરતા રહો.
  • આ દરમિયાન દૂધને સતત હલાવતા રહો.
  • ચણાના લોટ-દૂધને હલાવતી વખતે ધ્યાન રાખો કે ગઠ્ઠો ન બને.
  • મિશ્રણને સતત હલાવતા રહીને રાંધો.
  • જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય અને તપેલીમાંથી બહાર નીકળવાનું શરૂ ન કરે.
  • હવે ગેસ બંધ કરીને મિશ્રણમાં એલચી પાવડર અને કેસર ઉમેરો.
  • આ પછી, મિશ્રણને ઠંડુ થવા દો.
  • આ દરમિયાન દરેક થાળી અથવા પ્લેટ પર ઘી લગાવો.
  • આ પછી તૈયાર મિશ્રણને પ્લેટમાં મૂકીને તેને બધી બાજુએ સમાન પ્રમાણમાં ફેલાવો.
  • આ પછી મિશ્રણને ઠંડુ થવા માટે છોડી દો.
  • મિશ્રણ 1 કલાકમાં સેટ થઈ જશે.
  • આ પછી તેને ચાકુની મદદથી મનપસંદ આકારમાં કાપો.
  • પછી મોહનથાળને બદામ અને કાજુથી સજાવો.