ADVERTISEMENT
ADVERTISEMENT

રાજકુમારની ફિલ્મમાં જાન્હવી કે શ્રદ્ધાના બદલે તૃપ્તિ કેમ પસંદ થઈ?

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ને અભૂતપૂર્વ સફળતા મળી છે, ત્યારે હવે રાજકુમાર રાવની વધુ એક અલગ પ્રકારની ફિલ્મ આવી રહી છે. જે ‘ડ્રીમ ગર્લ’ના ડિરેક્ટર રાજ શાંડિલ્ય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેમણે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ માટે તેમણે તૃપ્તિ પહેલાં ઘણા નામનો વિચાર કર્યો હતો.

તેમણે નુસરત ભરુચા, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડનેકર તેમજ રાજકુમારની ‘સ્ત્રી 2’ની કૉ સ્ટાર શ્રદ્ધા કપૂરનો પણ વિચાર કર્યો હતો. જોકે, રાજકુમાર રાવ આ પહેલાં જ્હાન્વી, ભૂમિ, નુસરત અને શ્રદ્ધા સાથે કામ કરી ચૂક્યો છે તેથી પોતાની ફિલ્મમાં તાજગી લાવવા માટે તેમણે તૃપ્તિને તક આપવાનો વિચાર કર્યો. તેમનો આ વિશ્વાસ સાચો પણ ઠર્યો, રાજકુમાર અને તૃપ્તિની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અને ખાસ કરીને ગીત દર્શકોને ઘણું પસંદ પડ્યું છે. રાજે આ ઉપરાંત મલ્લિકા શેરાવતના કાસ્ટિંગ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું,’તેમને સ્ક્રિપ્ટ ગમી અને તેણે કહ્યું કે તેને કોઈ આ પ્રકારના રોલ માટે કાસ્ટ કરે એની જ રાહ જોતી હતી.’

રાજ શાંડિલ્યએ એમ પણ કહ્યું કે તેમણે આયુષ્યમાન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ 1’ અને ‘ડ્રીમ ગર્લ 2’માં કામ કર્યું હોવાથી આ ફિલ્મમાં તેને લેવાનો પણ વિચાર કર્યો હતો. પરંતુ તેને આ ફિલ્મમાં કેમ ન લીધો તે અંગે તેણે કહ્યું,’અમે આયુષ્યમાન સાથે ‘ડ્રીમ ગર્લ 1-2’માં કામ કર્યું હોવાથી આ ફિલ્મ લખતી વખતે અમને થયું કે આ રોલ માટે રાજકુમાર વધારે સૂટ થાય છે. એવું નહોતું કે આયુષ્યમાન સૂટ નહોતો થતો પરંતુ રાજકુમાર આ પાત્રથી વધારે નજીક લાગ્યો. મારે ઘણા લાંબા સમયથી તેની સાથે કામ પણ કરવું હતું. બંને બહુ સારા કલાકારો છે અને મને વિશ્વાસ છે કે આવનારી ફિલ્મમાં આયુષ્યમાન જરૂર હશે.’

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT