ADVERTISEMENT
ADVERTISEMENT

રોહિત શર્માને રાહુલ દ્રવિડની આવી યાદ, બાંગ્લાદેશ સામેની જીત બાદ મોટું નિવેદન

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ રમતના પાંચમા દિવસે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે આ ટેસ્ટ સિરીઝ પણ 2-0થી જીતી લીધી છે. આ જબરદસ્ત જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર પ્રતિક્રિયા આપી હતી.

ભારતે શાનદાર જીત હાંસલ કરી

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ જ ભારતે 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયો. તેને પોતાનો કરાર ન લંબાવવાનો નિર્ણય કર્યો. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા. તેમના કોચિંગ હેઠળ, ભારતે બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમી અને શાનદાર જીત હાંસલ કરી.

રાહુલ દ્રવિડને લઈને રોહિત શર્માનું નિવેદન

કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ રોહિત શર્માએ રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીરને લઈને નિવેદન આપ્યું હતું. “અમે આગળ વધતા રહીએ છીએ,” તેને કહ્યું. ચોક્કસપણે અમુક તબક્કે અમારે અલગ કોચ સાથે કામ કરવું પડ્યું હતું. રાહુલ ભાઈએ કહ્યું કે હવે તેઓ ટીમ સાથે વધુ નહીં રહે. તેમની સાથે સારો સમય પસાર કર્યો પરંતુ જીવન આગળ વધે છે. અમારે તેમની આગળ જવાનું હતું. હું ગૌતમ ગંભીર સાથે રમ્યો છું અને જાણું છું કે તેમનો માઈન્ડસેટ શું છે. તે ખેલાડીઓને તેમની ઈચ્છા મુજબ રમવા દે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાએ શાનદાર કર્યું પ્રદર્શન

તમને જણાવી દઈએ કે કાનપુર ટેસ્ટ મેચનો બીજો અને ત્રીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. બે દિવસ સુધી એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. પરંતુ ચોથા અને પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી. બાંગ્લાદેશને પહેલા દાવમાં 233 રનમાં આઉટ કર્યા બાદ, ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 285/9 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશ બીજા દાવમાં 146 રન પર જ સિમિત રહી ગયું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT