ADVERTISEMENT
ADVERTISEMENT

સવારે નાસ્તો ન કરવાથી થઈ શકે અનેક બીમારીઓ!

  • લાંબા સમય સુધી સવારનો નાસ્તો ન કરવાથી થઈ શકે છે અનેક બીમારીઓ
  • સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળે છે અને બ્લડ શુગર લેવલને રહે છે
  • નાસ્તો છોડવાથી વજન ઘટવાને બદલે અસ્વસ્થ વજન વધવાનું જોખમ વધે છે

કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો આપણો આખો દિવસ સારો જાય છે. પરંતુ આજના વ્યસ્ત જીવનમાં આપણે દિવસનું સૌથી મહત્વનું ભોજન એટલે કે સવારનો નાસ્તો છોડી દઈએ છીએ.

લાંબા સમય સુધી આ આદત રહેવાને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ધીરે-ધીરે આપણું શરીર રોગોનું ઘર બની જાય છે.

સવારનો નાસ્તોથી શરીરને ગ્લુકોઝ મળે છે

નિષ્ણાતોના મતે સવારે નાસ્તો કરવાથી તમારા શરીરને ગ્લુકોઝ મળે છે. જે શરીરમાં બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે. લાંબા સમય સુધી નાસ્તો છોડવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ ઘટે છે. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. ચાલો જાણીએ સતત એક મહિના સુધી સવારે નાસ્તો ન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે.

ચીડિયાપણું

નિષ્ણાતોના મતે ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન આપણા મૂડને ઘણી હદ સુધી અસર કરે છે. જેનો પ્રભાવ આપણા નાસ્તા પર પડે છે. જો આપણે એક મહિના સુધી સતત નાસ્તો ન કરીએ તો સેરોટોનિનનું સ્તર ખોરવાઈ શકે છે. જેના કારણે ચીડિયાપણું, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણો પણ વધી જાય છે.

વજન વધવું

નિષ્ણાતોના મતે નાસ્તો છોડવાથી વજન ઘટવાને બદલે અસ્વસ્થ વજન વધવાનું જોખમ વધી જાય છે. જ્યારે આપણે નાસ્તો કરતા નથી, ત્યારે આપણે ઘણીવાર બપોરના ભોજનમાં વધુ પડતું ખાઈએ છે. જેના કારણે વજન વધી શકે છે.

મેટાબોલિક સિન્ડ્રોમ

ADVERTISEMENT
ADVERTISEMENT

સવારનો નાસ્તો છોડવાથી મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધે છે. જે હૃદય રોગ, સ્ટ્રોક અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.

હૃદય રોગનું જોખમ

નિષ્ણાતોના મતે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને હાર્ટ એટેક, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધુ રહે છે. તેથી તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે નાસ્તો લેવાનું ભૂલશો નહીં.

ટાઈપ 2 ડાયાબિટીસ

સવારનો નાસ્તો છોડવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. સવારનો નાસ્તો છોડવાથી શરીરમાં બ્લડ સુગર કંટ્રોલમાં નથી રહેતું, જેનાથી ડાયાબિટીસનો ખતરો રહે છે.

પોષણની ખામીઓ

ADVERTISEMENT
ADVERTISEMENT

સવારનો નાસ્તો શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. જો આપણે સવારનો નાસ્તો ન કરીએ તો આપણા શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. જે અનેક રોગોનું કારણ બની શકે છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)