ADVERTISEMENT
ADVERTISEMENT

 ઘઉંના લોટમાં આ 3 પ્રકારના લોટ મિક્સ કરી બનાવો રોટલી, દસ રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર

ડાયાબિટીસ હોય તેમને ઘઉંનો લોટ ખાવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે તેમાં કાર્બ્સ વધારે હોય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે ડાયાબિટીસ હોય તેને પણ જમવામાં રોટલી તો ખાવી જ હોય છે. અને રોટલી ખાવી જરૂરી છે. આ સ્થિતિમાં ઘઉંના લોટમાં 3 લોટ મિક્સ કરીને ઉપયોગમાં લેશો તો ફાયદો થશે.

ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો ઘઉંનો લોટ એકદમથી છોડી દેવો જરૂરી નથી.

તમે માત્ર ઘઉંના લોટથી બનેલી રોટલી ખાવાને બદલે તેમાં અન્ય 3 લોટ ઉમેરી રોટલી બનાવો છો તો તે વધારે લાભ કરે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.

જો ઘરમાં રોજ બનતી રોટલીના લોટમાં આ 3 પ્રકારના લોટ ઉમેરી તેની રોટલી બનાવવામાં આવે છે તો તે વધારે પૌષ્ટિક બની જાય છે. આ રોટલી ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર વધતું નથી.

ચણાનો લોટ

ચણાના લોટમાં ઠંડક કરનાર ગુણ પણ હોય છે. રોજ ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી રોટલી બનાવો છો તો શરીરને ઠંડક પણ મળે છે. તેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.

રાગીનો લોટ

ADVERTISEMENT
ADVERTISEMENT

રાગી અને ઘઉંના લોટથી બનેલી રોટલી સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક છે. ઘઉંના લોટમાં 25 ટકા રાગીનો લોટ મિક્સ કરી તેની રોટલી બનાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. રાગીનો લોટ તૈયાર પણ મળે છે અને તમે ઘઉંની જેમ રાગીને દળાવીને તેનો લોટ તૈયાર કરી પણ શકો છો.

સોયાબીન

સોયાબીનને દળાવી તેનો લોટ તૈયાર કરાવી રાખવો જોઈએ. ઘઉંના લોટમાં કાયમ માટે સોયાબીનનો લોટ મિક્સ કરીને જ રોટલી બનાવવી જોઈએ. તેનાથી શરીરને જરૂરી પ્રોટીન મળી રહે છે અને રોટલી પણ સોફ્ટ બને છે. તમે 2 કિલો ઘઉંની સાથે 500 ગ્રામ સોયાબીન મિક્સ કરીને લોટ તૈયાર કરી શકો છો.

જો તમે ડાયાબિટીસના દર્દીને ઘઉંનો લોટ અને ઉપર જણાવેલા લોટની મિક્સ રોટલી ડાયટમાં આપો છો તો તેનાથી બ્લડ સુગલ લેવલ કંટ્રોલમાં રહે છે. આ મલ્ટીગ્રેન રોટલી સ્નાયૂ અને હાડકાને મજબૂત બનાવે છે. તેનાથી પાચન તંત્રને પણ લાભ થાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)