ADVERTISEMENT
ADVERTISEMENT

કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના કપરા ચઢાણ, રિલીઝ ડેટ મોકૂફ, જાણો શું છે વિવાદ?

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે મોકૂફ થઈ ગઈ હતી. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે.

કંગનાની આ ફિલ્મ 1975 દેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ પર આધારિત છે.

કંગનાએ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા પર કહ્યું, ‘ભારે હૃદય સાથે, હું જાહેરાત કરું છું કે મારી દિગ્દર્શિત ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે, અમે હજુ પણ સેન્સર બોર્ડના કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે, તમારી સમજણ અને ધીરજ બદલ આભાર.’

ફિલ્મ ‘ઇમરજન્સી’ને શીખ સમુદાયના સભ્યો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સમુદાયનો દાવો છે કે ફિલ્મમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમના મતે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેણે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ રોકવા માટે અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે આ ફિલ્મ તણાવ અને ખોટી માહિતી ફેલાવી શકે છે. દાખલ કરવામાં આવેલી અરજી પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત, કેન્દ્ર સરકાર, સેન્સર બોર્ડને નોટિસ મોકલી હતી. નોટિસનો જવાબ આપતા સીબીએફસીએ કોર્ટને કહ્યું કે તેઓએ હજુ સુધી ફિલ્મને સેન્સર પ્રમાણપત્ર આપ્યું નથી અને ફિલ્મ હજુ વિચારણા હેઠળ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

સેન્સર બોર્ડે કોર્ટને કહ્યું કે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં વધતા તણાવને કારણે તેને રોકી દેવામાં આવ્યું હતું. ફિલ્મને 6 સપ્ટેમ્બરે રિલીઝ કરવા માટે ‘ઝી સ્ટુડિયો’એ મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સેન્સર સર્ટિફિકેટની માગણી કરી હતી. જોકે, કોર્ટે 4 સપ્ટેમ્બરે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે આગામી સુનાવણી માટે 18 સપ્ટેમ્બરની તારીખ આપી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT