ADVERTISEMENT
ADVERTISEMENT

મોદક પાર્ટી… ગણેશોત્સવના પહેલા દિવસે કાર્તિક આર્યને કર્યા લાલબગચા રાજાના દર્શન

દર વર્ષે ગણેશોત્સવની શરૂઆતથી જ મુંબઈના દરેક પ્રખ્યાત ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ગણેશ પંડાલોમાં સૌથી પ્રખ્યાત છે મુંબઈમાં સ્થિત લાલબગચા રાજા (Kartik Aaryan visits Lalbaugcha Raja) જેને જોવા માટે મોટા મોટા રાજનેતાઓથી લઈને બૉલિવૂડના સેલેબ્સ પણ પહોંચે છે. આજે ગણેશ ચતુર્થીનો દિવસ 10 દિવસના ગણેશોત્સવનો પહેલો દિવસ છે આ નિમિત્તે બૉલિવૂડ ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન લાલબાગચા રાજાના દર્શન કરવા માટે પહોંચ્યો હતો.

કાર્તિક આર્યન (Kartik Aaryan visits Lalbaugcha Raja) શનિવારે સવારે મુંબઈના સૌથી લોકપ્રિય લાલબાગચા રાજાના દર્શન કરવા ગયો હતો. કાર્તિકે વાદળી રંગનો કુર્તો પહેર્યો હતો આ દરમિયાન તે બાપ્પાના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. કાર્તિકે લાલબાગચા રાજાના દર્શન કર્યાના ફોટા પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. કાર્તિક આર્યને લાલબાગચા રાજાની મુલાકાત લીધી અને તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “તઓ પાછા આવ્યા આવ્યા છે અને હું અને હું પણ તેમના આશીર્વાદ માટે છું. મોદક પાર્ટી શરૂ કર્યો. ગણપતિ બાપ્પા મોરયા” કાર્તિક ગણેશોત્સવમાં વર્ષે લાલબગચા રાજાના દર્શન કરવાનું નક્કી કરે છે.

મુંબઈમાં આ વર્ષનો ઉત્સવ ખાસ કરીને લાલબાગચા રાજાની મૂર્તિના અનાવરણ બાદ તહેવારની ઉજવણી કરવાના લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર અને તેની બહારના ભક્તો તેમના ઘરોમાં ગણેશ મૂર્તિઓ લાવીને, ઉપવાસ કરીને, પરંપરાગત પ્રસાદ તૈયાર કરીને અને વિવિધ પંડાલોની મુલાકાત લઈને ધામધૂમથી તહેવાર ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Kartik Aaryan visits Lalbaugcha Raja) પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા તેમણે લખ્યું કે, “તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. ગણપતિ બાપ્પા મોરયા!”

ADVERTISEMENT
ADVERTISEMENT

કાર્તિક આર્યન હાલમાં તેની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ `ચંદુ ચેમ્પિયન`માં (Kartik Aaryan visits Lalbaugcha Raja) તેની ભૂમિકાને લઈને ચર્ચામાં હતો અને લોકોએ તેના વખાણ કર્યા હતા. કબીર ખાન દ્વારા ડિરેક્ટ અને સાજીદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા નિર્મિત, આ ફિલ્મ ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની પ્રેરણાદાયી વાર્તા પર આધારિત હતી. આર્યનના પરિવર્તનશીલ અભિનયને વિવેચકો અને ચાહકો દ્વારા સમાન રીતે પ્રશંસા મળી છે. વધુમાં, આર્યને અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત `ભૂલ ભૂલૈયા 3`નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીનો ક્રેઝ અને રોમાંચ શરૂ રાખવાનું વચન આપે છે, જેમાં આર્યનની સાથે તૃપ્તી ડિમરી સાથે જોવા મળવાના છે આ સાથે ફિલ્મમાં વિદ્યા બાલનની મંજુલિકા તરીકે પુનરાગમન થઈ શકે છે. આ ફિલ્મ વિદ્યા બાલનની ફ્રેન્ચાઇઝીમાં પરત ફરવાની નિશાની પણ છે. વિદ્યા બાલને 2007ની બ્લોકબસ્ટર ફિલ્મ ભૂલ ભૂલૈયામાં મંજુલિકાની આઇકોનિક ભૂમિકા ભજવી હતી જે આજે પણ લોકો માટે યાદગાર છે.

ADVERTISEMENT
ADVERTISEMENT