ADVERTISEMENT
ADVERTISEMENT

દશેરાએ સર્જાશે દુર્લભ સંયોગ, આ 3 રાશિના અટકેલા કામો પાર પડશે

નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. તે બાદ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. 12 ઑક્ટોબરે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. દશેરાનો દિવસ એટલે અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવાનો દિવસ. આ દિવસ ખાસ તો છે જ પરંતુ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ દિવસનું ખાસ મહત્વ છે. કારણ કે આ દિવસે શશ યોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. શ્રવણ નક્ષત્ર રહેશે.

ત્યારે આ યોગની તમામ 12 રાશિમાં અસર જોવા મળશે પરંતુ 3 રાશિ એવી છે કે જેના માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિના લોકોને દશેરા પર્વ ખૂબ ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ મળી શકે છે.
  • સુખ-સુવિધાઓમાં વધારો થશે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની જેઓ તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે.
  • લવ લાઈફમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.
  • જે લોકો વેપાર કરે છે તેઓ ખૂબ નફો કરી શકશે
  • નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. તમે પ્રમોશનના સારા સમાચાર પણ સાંભળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહેશે.

તુલા રાશિ

ADVERTISEMENT
ADVERTISEMENT
  • તુલા રાશિના જે લોકો પરણ્યા નથી તેમના માટે સંબંધ માટેની વાતો આવી શકે છે.
  • જે લોકોને તેમના લગ્ન ફાઇનલ કરવામાં સમસ્યા આવી રહી છે તેનું નિરાકરણ આવશે.
  • કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે.
  • નોકરી કરતા લોકોને સિનિયર્સનો પૂરો સહયોગ મળશે.
  • બોસ તમારા કામના વખાણ કરશે.
  • પારિવારિક સંબંધો મજબૂત રહેશે.
  • તમે જે કાર્યમાં મહેનત કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.

મકર રાશિ

  • મકર રાશિના લોકોના કરિયર માટે સમય સારો છે.
  • નવી તકો પ્રાપ્ત થશે.
  • જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમને પાછા મળી જશે.
  • જૂના મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.
  • જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો તે દૂર થઈ જશે.
  • અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
  • આ સિવાય જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ક્યાંકથી ખૂબ સારી ઓફર મળી શકે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

ADVERTISEMENT
ADVERTISEMENT