ADVERTISEMENT
ADVERTISEMENT

તેલ-મસાલાવાળા ખોરાકને લીધે થાય છે પેટની બળતરા, તો ટ્રાય કરો આ જુદા-જુદા જ્યૂસ

વધુ પડતા તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. આ પ્રકારના ખોરાકની સીધી અસર આપણાં પાચન તંત્ર ઉપર થાય છે. તેના કારણે એસિડિટી, ફૂડ એલર્જી, ફૂડ પોઇઝનિંગ, ડાયરિયા અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. જોકે, પેટમાં બળતરાના અનેક કારણો હોય શકે છે. પેટમાં થતી બળતરામાં કેટલાક હેલ્ધી ડ્રિંક કારગર સાબિત થાય છે. આજે આવા જ કેટલાક ડ્રિંક વિશે જાણીએ જેનાથી પેટની બળતરા શાંત થઈ શકે છે.

વરિયાળીનું શરબત

નિયમિતપણે વરિયાળી ખાવાથી પેટ અને કબજિયાતની ફરિયાદ દૂર કરી શકાય છે. તેના માટે વરિયાળીને શાકરની સાથે વાટીને ચૂરણ બનાવી લો અને આશરે 5 ગ્રામ ચૂરણ સૂતી વખતે નવશેકા પાણીની સાથે લો. તેનાથી ગેસ, કબજિયાત અને પેટમાં બળતરાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

ગાજરનો જ્યૂસ

ગાજરનું જ્યૂસ માત્ર શરીર માટે જ ફાયદાકારક નથી પરંતુ તેને પીવાથી પેટમાં થતી બળતરા પણ ઓછી થાય છે. તેના માટે ગાજર અને ફુદીનાને મિક્સ કરીને તેનો રસ પીવાથી આરામ મળશે.

બીટનો જ્યૂસ

બીટના જ્યૂસમાં રહેલા એન્ટિ-ઓક્સીડેન્ટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી પેટમાં થતી બળતરામાં આરામ મળે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

પાલકનો જ્યૂસ

આ જ્યૂસમાં પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. પેટને ઠંડક પહોંચાડવા માટે પાલક, સેલેરી અને ફુદીનાના પાનને મિક્સ કરીને જ્યૂસ બનાવો અને દિવસમાં 2 વખત તેનું સેવન કરો. પેટમાં થતી બળતરામાં આરામ મળશે.

ફુદીનાનો જ્યૂસ

ફુદીનામાં મેન્થોલ હોય છે જે શરીરને ઠંડક આપે છે. ફુદીનાનો જ્યૂસ પેટમાં થતી બળતરાને શાંત કરવા માટે ફાયદાકારક હોય છે. તેને બનાવવા માટે ફુદીનાને વાટીને તેનો રસ કાઢી લો. પછી તેમાં મધ તથા લીંબુ મિક્સ કરીને પીવો. તેનાથી પેટની બળતરા અને ઉબકા આવવાની સમસ્યામાં આરામ મળશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)