ADVERTISEMENT
ADVERTISEMENT

શું તમે પણ વર્કઆઉટ કર્યા પછી તરત જ પીવો છો પાણી, તો આ સમસ્યાઓને આપી રહ્યા છો આમંત્રણ

સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. જો કે, કસરત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારું શરીર હાઇડ્રેટેડ રહે. આ માટે કસરત કરતા સમયે થોડી થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો કલાકો સુધી સખત વર્કઆઉટ કર્યા પછી તરત જ ખૂબ પાણી પીવે છે , જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ખોટું છે.

વ્યાયામ એ એક શારીરિક પ્રવૃત્તિ છે જેમાં શરીર મોશનમાં હોય છે. આવા મોશન બાદ આરામ કર્યા પછી તરત જ પાણી પીવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કસરત કર્યા પછી તરત જ પાણી કેમ ન પીવું જોઈએ.

આ કારણોસર કસરત કર્યા પછી પાણી ન પીવું

કસરત દરમિયાન પરસેવાના સ્વરૂપમાં શરીરમાંથી પાણી બહાર આવે છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઇ જાય છે. આવી સ્થિતિમાં જો અચાનક ગરમ શરીરમાં ઠંડુ પાણી જાય તો પાચન શક્તિમાં ખલેલ પડી શકે છે. આ સમય દરમિયાન, તેની શોષણ ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે ઠંડુ પાણી ગરમ પેટમાં પહોંચતાની સાથે જ તે, ખેંચાણ, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તરસ છીપાવવા માટે ઠંડુ પાણી પીવામાં મજા આવે છે, પરંતુ કસરત કર્યા પછી ગરમ પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે. ગરમ પાણી પાચનતંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે, તેથી કસરત કર્યા પછી તરત જ ઠંડુ પાણી ન પીવો.

ADVERTISEMENT
ADVERTISEMENT

કસરત કર્યા પછી તરત જ હૃદયને થોડો સમય આરામ કરવો જોઈએ. પરંતુ તરત જ પાણી પીવાથી શરીરમાં અચાનક પરિભ્રમણનું પ્રમાણ વધી જાય છે અને હૃદય પર દબાણ વધે છે.

કસરત કર્યા પછી તરત જ સાદું પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું અસંતુલન પણ થઈ શકે છે જેના કારણે ઉલ્ટી, ઉબકા, ચક્કર અને થાક અનુભવાય છે.

તેથી જો એકદમ જરૂરી હોય તો જ કસરત કર્યા પછી તરત જ થોડું હૂંફાળું અથવા ગરમ પાણી પીવો.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)