ADVERTISEMENT
ADVERTISEMENT

આ પાંચ મસાલાનું એક સાથે સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યા થાય છે દૂર

રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે આપણા શરીરમાં પંચામૃત જેવું કામ કરે છે.તેમાં 5 મસાલાને મિક્સ કરીને ખાવામાં આવે છે, તેથી તેનું નામ પંચામૃત રાખવામાં આવ્યું છે. આ મસાલા શરીરની અનેક ગંભીર સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી પેટ અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને આ વસ્તુઓ વજન ઘટાડવામાં અને ઘણી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

ચાલો જાણીએ આ મસાલા શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
પંચામૃત આ મસાલાઓથી બનેલું છે:
આ પાંચ મસાલાને મિક્સ કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે: મેથી, વરિયાળી, સૂકી કોથમીર, અજમો અને જીરું આ મસાલા પેટ માટે કેવી રીતે અસરકારક છે.

આ પાંચ મસાલાનું એક સાથે સેવન કરવાથી શરીરની ધણી સમસ્યા થાય છે દૂર

મેથી
આયુર્વેદમાં મેથીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને બ્લડ સુગરની સાથે વજન પણ નિયંત્રણમાં રહે છે. તેમજ મેથી વાળ માટે ફાયદાકારક છે.

વરિયાળી:
વરિયાળી તમારા શરીરને ઠંડક આપે છે અને ફાઇબરથી ભરપૂર પાચનમાં સુધારો કરે છે, વરિયાળી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

સૂકી કોથમીર:
સુકા ધાણા પેટ માટે પણ ફાયદાકારક છે, તે મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી સ્થૂળતા ઓછી થાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

અજમો
અજમો ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેનાથી પાચનક્રિયા ઝડપી બને છે. અજામાંનું પાણી સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ કરે છે.

જીરું:
જીરું પેટ, પાચન અને વજન ઘટાડવામાં અસરકારક છે.

આ મસાલા પેટને લગતી ઘણી સમસ્યાઓમાં અસરકારક છે જેમ કે તે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે.

પંચામૃત કેવી રીતે બનાવશો?
આ પાંચેય મસાલા 1-1 ચમચી રાત્રે મિક્સ કરીને કાચની બોટલમાં ભરીને સવારે આ પાણી પીવો. તેને નિયમિત પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)