ADVERTISEMENT
ADVERTISEMENT

વજન ઘટાડવા માંગો છો? આ આયુર્વેદિક ડાયટ પ્લાન ફોલો કરો; જાણો એક્સપર્ટ પાસેથી વેટ લોસની ટિપ્સ

આજકાલ મોટાભાગના લોકોમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ખાનપુાનની ખોટી આદતો અને અસંતુલિત લાઈફસ્ટાઈલ છે. સ્થૂળતાને કારણે વ્યક્તિને થાઈરોઈડ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ રહે છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. પરંતુ, વજન ઘટતું નથી.

ત્યારે આજે અમે તમને આયુર્વેદથી કેવી રીતે વજન ઘટાડી શકો છો, તે વિશે જણાવવા જઈ રહ્યા છે.

ડો. રિતુ ચઢ્ઢા જણાવે છે કે, આપણા શરીર માટે ખોરાક ઈંધનનું કામ કરે છે. ખોરાકના આધારે શરીર પર અસર થાય છે. વજન ઘટાડવા માટે પાચનમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજન ઓછું કરવા માટે સાત્વિક આહાર લેવો જોઈએ. સાત્વિક ખોરાક હળવો અને પૌષ્ટિક હોય છે, જે સરળતાથી પચી જાય છે. ભારે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

આયુર્વેદ અનુસાર વજન વધારવા માટેનો ડાયટ પ્લાન

વજન ઘટાડવા માટે સવારે શું ખાવું?

  • વજન ઓછું કરવા માટે સવારે સૌથી પહેલા ડિટોક્સ વોટર પીવું જોઈએ.
  • આ માટે જીરાનું પાણી, લીંબુ પાણી, તજનું પાણી અથવા મેથીનું પાણી પી શકાય છે.
  • આ શરીરમાં રહેલા ટોક્સિન્સને સરળતાથી દૂર કરી દે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે.
  • આ શરીરના મહત્વના અંગો, જેમ કે લીવર અને કિડનીને એક્ટિવ રીતે કામ કરવા દે છે.
  • તેમજ પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

વજન ઘટાડવા માટે નાસ્તામાં શું ખાવું?

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ અને હેવી મીલ હોવું જોઈએ.
  • તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને કાર્બોહાઇડ્રેટ જરૂર સામેલ કરો.
  • સવારના નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓ ખાવાથી ભૂખ ઓછી લાગશે અને વ્યક્તિ નબળાઈ અનુભવશો નહીં.
  • નાસ્તામાં તમે આ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો –
  • 1 સ્ટફ્ડ પરાઠા (તેલ કે ઘી વગર)
  • સોટેડ મિક્સ શાકભાજી
  • 1 નાનો બાઉલ મિક્સ ફળ સલાડ
  • ઓટ્સ અથવા દળિયા

વજન ઘટાડવા માટે લંચમાં શું ખાવું?

  • આયુર્વેદ અનુસાર, બપોરના 12 વાગ્યા સુધીમાં લંચ કરી લેવું જોઈએ.
  • બપોરના ભોજનમાં આખા અનાજ, પ્રોટીન અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
  • બપોરના ભોજનમાં રાગી અથવા જવના લોટની રોટલી સાથે સ્ટાર્ચ વગરના શાકભાજી, દાળ-ભાત, મગની દાળની ખીચડી અને સલાડ ખાઈ શકાય છે.
  • દહીં કે છાશમાં શેકેલું જીરું અને કાળું મીઠું મિક્સ કરીને પણ લઈ શકાય છે.
  • છાશ પાચન માટે ખૂબ જ સારી છે.

વજન ઘટાડવા માટે સાંજના નાસ્તામાં શું ખાવું?

  • સાંજે નાસ્તામાં દૂધની ચા પીવાને બદલે હર્બલ ટી અથવા ગ્રીન ટીનું સેવન કરો.
  • તેની સાથે શેકેલા ચણા અથવા મખાના ખાઈ શકાય છે.
  • આ ઓછી કેલરીવાળો ખોરાક છે, જે તમારું પેટ ભરેલું રાખશે.

વજન ઘટાડવા માટે ડિનરમાં શું ખાવું?

  • આયુર્વેદ અનુસાર, ડિનર રાત્રે 8 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ.
  • રાત્રે આપણી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, તેથી હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લો.
  • વજન ઓછું કરવું હોય તો ડિનરમાં બાફેલા ચણા અથવા રાજમા સલાડ, રોટલી-શાક, વેજિટેબલ સૂપ અથવા તળેલા શાકભાજી અને પનીર વગેરે ખાઈ શકો છો.

વજન ઘટાડવા માટે આયુર્વેદિક ટિપ્સ – Ayurvedic Tips For Weight Loss In Gujarati

ADVERTISEMENT
ADVERTISEMENT
  • વજન ઘટાડવા માટે, તમે જે પણ ખોરાક ખાઈ રહ્યા છો તેને સારી રીતે ચાવીને ખાઓ.
  • ભૂખ લાગે તે પહેલાં અથવા ભૂખ્યા વગર ખાવાનું ટાળો.
  • હંમેશા ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ.
  • એક ભોજન અને બીજા ભોજન વચ્ચે 6 કલાકનું અંતર રાખો.
  • મોસમ વગરની શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • જે લોકો તણાવમાં રહે છે તેમના શરીરનું વજન સતત વધતું જાય છે. તેથી ટેન્શન લેવાનું છોડો.
  • વજન ઘટાડવા માટે ત્રિફળાનો ઉકાળો ખૂબ જ સારો ઘરેલું ઉપાય છે.
  • ત્રિફળાનો ઉકાળો દરરોજ સવાર-સાંજ મધ સાથે લેવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • મધ, રોક મીઠું અને મિશ્રી વગેરે સાથે હરદનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી..)