પતિ : તું મને વાતે વાતે ધમકી આપે છે, શું આ સારી વાત છે?😅😝😂😜🤣🤪

જે પરેશને મિત્રોએ આજીવન બ્રહ્મચારી
માની લીધા હતા
તેણે 59 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં.
ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : ભાઈ,
તમારે લગ્ન કરવાં જ હતાં
તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો?
પરેશે જણાવ્યું : જો મારી પત્ની વઢકણી નીકળે
તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે.
પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે
તો એને માટે આટલી બધી રાહ જોઈ,
એ લેખે લાગે.
😅😝😂😜🤣🤪

પતિ : તું મને વાતે વાતે તારી માં પાસે
જતી રહેવાની ધમકી આપે છે,
શું આ સારી વાત છે?
પત્ની : ઠીક છે,
હવે મેં જવાનો વિચાર છોડી દીધો છે.
હું મમ્મીને જ અહીં બોલાવી લઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)