ADVERTISEMENT
ADVERTISEMENT

મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી

અભિનેત્રી મલાઈકા અરોરાનાના પિતા હવે આ દુનિયામાં નથી. તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના આજે સવારે ૯ વાગ્યાની આસપાસની છે. અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં, પોલીસને તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પ્રા વિગતો મુજબ મલાઈકાના પિતા ઘણા સમયથી બીમાર હતા.

આ ઘટના સમયે અભિનેત્રી મુંબઈમાં હાજર ન હતી. આ સમાચારની જાણ થતાં જ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. અભિનેત્રીના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગત સાંજે મલાઈકા અરોરા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી, તે તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી. મલાઈકા અરોરાની સાથે તેની બહેન અમૃતા અરોરા અને તેની માતા છે. મલાઈકા અરોરાના પિતા હિન્દુ હતા, યારે તેની માતા કેરળની િસ્તી હતી. યારે મલાઈકા છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા અને તે તેની માતા સાથે થાણેથી ચેમ્બુર રહેવા ગઈ. તેની માતાએ અભિનેત્રીનો ઉછેર કર્યેા.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT