ADVERTISEMENT
ADVERTISEMENT

દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ તુમ્બાડ 2’થી છેડો ફાડ્યો

લોભ અને વાસનાની આસપાસ ઘેરાતી વાર્તામાં નવો અધ્યાય ઉમેરાશે પણ કમાન નવા હાથમાં રહેશેબહુચર્ચિત ફિલ્મ તુમ્બાડ ની સિક્વલને લઈને કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે. હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ કહ્યું હતું કે તે આ ફિલ્મની સિક્વલમાં કામ નહીં કરે.આથી હવે આ ફિલ્મની કમાન કોઈ અન્ય દિગ્દર્શકને સોપવામાં આવશે.બર્વેના જણાવ્યા અનુસાર, તેની આગામી ફિલ્મ ‘પહાડપંગીરા’ નારીવાદની શરૂઆતને ટ્રેસ કરશે અને તે સતીપ્રથા સાથે સંબંધિત વિષય પર હશે.

જ્યારથી ‘તુમ્બાડ’ ફરી રીલિઝ થઈ છે ત્યારથી તેના વિશે ચર્ચા થઈ રહી છે. પુનઃ રિલીઝ થવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. સિનેમાઘરો ખીચોખીચ ભરેલા છે અને લોકો ફિલ્મ જોયા પછી દિવસો સુધી તેની વિશે વાતો કરે છે. આ બધાની વચ્ચે, લોકોમાં એ વાતનો પણ ઉત્સાહ છે કે તેનો પાર્ટ 2 પણ આવવાનો છે કારણ કે પાર્ટ 1 પૂરો થતાં જ સિનેમાઘરોમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેની સિક્વલને લઈને કેટલીક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ કહ્યું હતું કે તે આ ફિલ્મની સિક્વલમાં કામ નહીં કરે. રાહી અનિલ બર્વેએ પુષ્ટિ કરી છે કે તે 2018ની હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની આગામી સિક્વલમાં ભાગ લેશે નહીં. અભિનેતા અને ફિલ્મ નિર્માતા સોહમ શાહે ‘તુમ્બબાદ’ની સિક્વલ બનાવવામાં આવી રહી હોવાનો ખુલાસો કર્યા પછી તરત જ આ જાહેરાત કરવામાં આવી છે. બર્વેનું નિવેદન 13 સપ્ટેમ્બર, 2023 ના રોજ થિયેટરોમાં ‘તુમ્બાડ’ ફરીથી રિલીઝ થયા પછી આવ્યું છે.

એક્સ પર શેર કરેલી પોસ્ટમાં, બર્વેએ સિક્વલમાંથી પાછા હટી જવાના તેમના નિર્ણયને સમજાવ્યું, અને જાહેર કર્યું કે તે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ‘તુમ્બાડ’થી શરૂ થયેલી ફિલ્મોની સફર ‘પહડપંગિરા’ અને ‘પક્ષીતીર્થ’ પછી ચાલશે. તેણે કહ્યું, ‘મેં આ ફિલ્મમાં દાયકાઓ સુધી કામ કર્યું. ઘણા ફિલ્મમેકર્સ વચ્ચે વચ્ચે બદલાતા રહ્યા. પહેલી ફિલ્મ હતી તુમ્બાડ – ધ ગ્રેડ ઓફ પિટ્રીયાર્કી.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT