ADVERTISEMENT
ADVERTISEMENT

રજનીકાંતને 3 દિવસ બાદ મળી હોસ્પિટલમાંથી રજા, સર્જરી વિના કરવામાં આવી હૃદયની સારવાર

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત નામોમાંના એક સુપરસ્ટાર રજનીકાંતને સોમવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના કારણે ચાહકો તેમની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા. જો કે, તે પ્રકાશમાં આવ્યું કે, તે સર્જરી વિનાની એક તબીબી પ્રક્રિયા હતી, જેમાંથી રજનીકાંત પસાર થયા હતા. હવે તેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

‘જેલર’ સ્ટાર રજનીકાંતને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હૃદયની નાની સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેની સારવાર કોઈપણ સર્જરી વિના પ્રક્રિયા દ્વારા શક્ય હતી, જેના માટે રજનીકાંતને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રજનીકાંતે હૃદયની સારવાર કરાવી હતીએપોલો હોસ્પિટલ ચેન્નાઈએ મંગળવારે રજનીકાંતના સ્વાસ્થ્ય અંગે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે, ‘શ્રી રજનીકાંતને 30 સપ્ટેમ્બર 2024ના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને હૃદય તરફ જતી મુખ્ય રક્તવાહિનીમાં બળતરા હતી, જેની સારવાર ટ્રાન્સકેથેટર દ્વારા બિન-શસ્ત્રક્રિયાથી કરવામાં આવી હતી. ડોક્ટર સતીષે આયોટામાં સ્ટેન્ટ મૂકીને સોજો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. અમે તેમના શુભચિંતકો અને ચાહકોને જણાવવા માંગીએ છીએ કે પ્રક્રિયા યોજના મુજબ થઈ. રજનીકાંત હવે સ્થિર અને સ્વસ્થ છે. તે બે દિવસમાં ઘરે પહોંચી જશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વડાપ્રધાન મોદીએ પણ રજની કાંતના ખબરઅંતર પૂછ્યા હતા મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને રજનીકાંતની તબિયત અંગે અપડેટ લીધી હતી. તમિલનાડુ ભાજપના નેતા કે. અન્નામલાઈ, પી.એમ. મોદી સાથે રજનીકાંત અને તેમની પત્ની લતાનો જૂનો ફોટો શેર કરતા તેમણે કહ્યું હતું કે, ‘અન્નામલાઈએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી સાથે રજનીકાંત અને તેમની પત્ની લતાનો જૂનો ફોટો શેર કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ અમારા સુપરસ્ટાર શ્રી રજનીકાંત જીના સ્વાસ્થ્ય અંગે શ્રીમતી લતા રજનીકાંત સાથે ટેલિફોન પર વાત કરી હતી. માનનીય વડાપ્રધાનને શસ્ત્રક્રિયા બાદ શ્રી રજનીકાંતની તબિયત વિશે જાણ કરવામાં આવી હતી અને વડા પ્રધાને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ રજનીકાંતને ફોન કરી ખબર અંતર પૂછ્યા રજનીકાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, 73 વર્ષના સુપરસ્ટાર હવે તમિલ ફિલ્મ ‘વેટ્ટૈયાં’માં જોવા મળશે. 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં રજનીકાંત 30 વર્ષ પછી બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પડદા પર જોવા મળશે. આ બંને સિવાય આ ફિલ્મમાં ફહાદ ફાઝીલ અને રાણા દગ્ગુબાતી જેવા કલાકારો પણ છે. આ સિવાય રજનીકાંતે ‘વિક્રમ’ અને ‘લિયો’ના ડાયરેક્ટર લોકેશ કનાગરાજ સાથે તેની આગામી ફિલ્મ ‘કુલી’ પર પણ કામ શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT
ADVERTISEMENT