ADVERTISEMENT
ADVERTISEMENT

ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા પોન્ઝી કૌભાંડમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનું નિવેદન, કહ્યું- ‘અમારે કોઈ લેવાદેવા નથી’

ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા પોન્ઝી કૌભાંડમાં બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં બન્ને જણાએ સ્પષ્ટતા કરી છે કે, તેઓને પોન્ઝી કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી.

બૉલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું કે, આ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો કેસ જ નથી, રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો 2017ના કથિત પોન્ઝી કૌભાંડ સાથે કોઈ સબંધ નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT

ED દ્વારા મારા ક્લાયન્ટને રહેણાંક મિલકતો સામે ઇવિક્શનની નોટિસ જારી કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. જેથી રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે સમય મળી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સહયોગ આપવો એ અમારા ક્લાયન્ટની ફરજ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT