શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને મની લોન્ડિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટ દંપતીને રાહત આપતાં ED ના આદેશ પર સ્ટે મુક્યો હતો.
ED ના ઘર ખાલી કરવાના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે
ED એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને ઘર ખાલી કરવાની નોટિસ જારી કરી હતી. જે મુજબ તેઓએ 10 દિવસમાં જુહુનું ઘર ખાલી કરવાનું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
દંપતીએ બોમ્બે હાઈકોર્ટમાં EDના આદેશને પડકાર્યો હતો. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી અપીલ સત્તાધિકારી તેમની અપીલ પર નિર્ણય ન લે ત્યાં સુધી ખાલી કરાવવાની નોટિસના સંદર્ભમાં કોઈ પગલાં લેવામાં આવશે નહીં. કોર્ટે એ પણ જણાવ્યું કે જો અપીલ અધિકારી દંપતી સામે આ પ્રકારનો કોઈ પણ નિર્ણય જાહેર કરશે તો પણ આ નિર્ણય 2 અઠવાડિયા સુધી લાગુ કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT