ADVERTISEMENT
ADVERTISEMENT

Salman Khan ને માફ કરી દઈશું. બિશ્નોઈ સમાજે ભાઈજાન સામે કઈ ડિમાન્ડ મુકી, જાણો

લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે જે પણ સલમાન ખાનનો સાથ આપશે તેમણે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અનેકવાર બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને ધમકીઓ પણ આપવામાં આવી છે. અને હવે બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાન ખાન સાથે બાબા સિદ્દીકીના ગાઢ સંબંધો હતા.

સલમાન ખાનને બિશ્નોઈ સમાજની માફી માંગવા અપીલ

આ વચ્ચે અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ જણાવ્યું છે કે જો સલમાન ખાન માફી માંગી લેશે તો સમાજ તેને માફ કરી શકે છે. બિશ્નોઈ સમાજના 29 નિયમોના 10મા નંબર પર ભૂલ કરવા પર જો માફી માંગે તો ક્ષમા આપવાની જોગવાઈ છે. જો સલમાન ખાનના મનમાં ક્ષમાભાવ હોય તો દયા આપી શકાય છે.

આ પહેલા ભાજપના નેતા હરનાથ સિંહ યાદવે પણ સલમાન ખાનને અપીલ કરી હતી કે તેઓ બિશ્નોઈ સમાજથી માફી માંગી લે. તેમણે એક્સ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કાળો હરણ બિશ્નોઈ સમાજના દેવતા છે. તેમની પૂજા કરે છે. તેમણે તેનો શિકાર કર્યો, જેના કારણે તેમની ભાવનાઓ આહત થઈ. બિશ્નોઈ સમાજની ભાવનાઓનું સન્માન કરતાં તેમણે પોતાની ભૂલ માટે માફી માંગી લેવી જોઈએ.

ADVERTISEMENT
ADVERTISEMENT

સલમાન ખાનની પાછળ કેમ પડી છે બિશ્નોઈ ગેંગ

વર્ષ 1998 માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો. આર્મ્સ એક્ટ હેઠળ તેમની પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી બિશ્નોઈ ગેંગ તેમની પાછળ પડી છે. આ મામલો હજી પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. 5 એપ્રિલ 2018 ના રોજ દોષી કરાર આપતાં તેમને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 7 એપ્રિલે તેમને 50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ ગેંગે પણ જણાવ્યું છે કે જો સલમાન ખાન માફી માંગી લેશે તો અમે તેને માફ કરી દઈશું.