ADVERTISEMENT
ADVERTISEMENT

જન્માષ્ટમીના અવસરે બનાવી લો સોજીની પંજીરી, ભગવાન શ્રી કૃષ્ણ થઈ જશે પ્રસન્ન; જાણો સરળ તેની સરળ રેસીપી

 દેશભરમાં આગામી 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જન્માષ્ટમી (Janmashtami 2024) નો પર્વ ભગવાન કાન્હા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરીનો ભોગ લગાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને સોજીની પંજીરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.

સોજીની પંજીરી

સોજીની પંજીરી બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1/2 કિગ્રા સોજી
  • 200 ગ્રામ ઘી
  • 1 ચમચી એલચી પાવડર
  • 1/2 કપ નારિયેળ પાવડર
  • 1/2 કપ કિસમિસ
  • 1/2 કિગ્રા પાઉડર ખાંડ
  • 50 ગ્રામ બારીક સમારેલા ડ્રાય ફ્રુટ્સ

સોજીની પંજીરી બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ એક પેનમાં બધા ડ્રાયફ્રુટ્સ શેકીને તેને અલગ કરી દો.
  • હવે પેનમાં સોજી નાખીને ધીમી આંચ પર સારી રીતે તળી લો.
  • એક પ્લેટમાં કાઢીને શેકેલી સોજીને ઠંડી કરી લો.
  • તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને દળેલી ખાંડ ઉમેરો.
  • સોજીની પંજીરી તૈયાર છે, તેમાં તુલસીના પાન નાખીને કાન્હાને પ્રસાદ અર્પણ કરો.