ADVERTISEMENT
ADVERTISEMENT

ભગવાન શ્રી કૃષ્ણને પસંદ છે કોથમીરની પંજીરી, જન્માષ્ટમીના અવસરે બનાવો; જાણો તેની સરળ રેસીપી

આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે. જન્માષ્ટમીના ખાસ અવસરે ભગવાન શ્રી કૃષ્ણ (Janmashtami 2024)ને ભોગમાં કોથમીરની પંજીરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કોથમીરની પંજીરીની સરળ રેસીપી.

કોથમીરની પંજીરી

કોથમીરની પંજીરી બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1 વાટકી કોથમીર
  • 1/2 વાટકી દળેલી ખાંડ
  • 2 ચમચી છીણેલું નારિયેળ
  • 2 ચમચી ઘી
  • જરૂર મુજબ બારીક સમારેલા ડ્રાયફ્રુટ્સ

કોથમીરની પંજીરી બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને શેકી લો.
  • ગરમ પેનમાં નારિયેળના પાઉડરને થોડું શેકાઈ જાય ત્યાં સુધી તળો.
  • હવે કોથમીર પાવડરને હળવા ઘીમાં શેકી લો.
  • શેકેલી કોથમીરને સંપૂર્ણપણે ઠંડી કરીને તેમાં દળેલી ખાંડ ઉમેરો.
  • તેમાં છીણેલું નારિયેળ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
  • કોથમીરની પંજીરી તૈયાર છે, તેમાં તુલસીના પાન નાખીને કાન્હાને પ્રસાદ અર્પણ કરો.