ADVERTISEMENT
ADVERTISEMENT

કાનપુર ટેસ્ટ પહેલા બાંગ્લદેશની વધી મુશ્કેલી, આ ધાકડ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશને ભારત સામેની પ્રથમ મેચમાં 280 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમને હવે તેની બીજી મેચ કાનપુરમાં રમવાની છે. આ મેચ પહેલા બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મેચમાં શાકિબ અલ હસનના રમવા પર શંકા છે. ચેન્નાઈ ટેસ્ટ મેચ દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે વધારે બોલિંગ કરી શક્યો ન હતો. મેચ કોમેન્ટ્રી દરમિયાન પણ તેની ઈજાની પુષ્ટિ થઈ હતી.

આ દરમિયાન કહેવામાં આવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ તેની તપાસ કરી રહ્યા છે.

તમીમ ઈકબાલે કોમેન્ટ્રીમાં આપી હતી માહિતી

ચેન્નાઈ ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલ પણ કોમેન્ટ્રી પેનલમાં હાજર હતો. આ દરમિયાન તેણે શાકિબ વિશે કહ્યું હતું કે, “મને આશ્ચર્ય થયું કે શાકિબે આ મેચમાં વધુ બોલિંગ કેમ ન કરી. લોકો સાથે વાત કર્યા પછી મને ખબર પડી કે તેની આંગળીમાં ઈજા થઈ છે. જેની સર્જરી કરવામાં આવી છે. આ સિવાય તેના ખભામાં પણ સમસ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

તમીમ ઈકબાલે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, જો શાકિબ આટલી મુશ્કેલીમાં હતો તો ટીમ મેનેજમેન્ટે પહેલા તેની કાળજી લેવી જોઈતી હતી. આ દર્શાવે છે કે મેચ પહેલા શાકિબ અલ હસન સાથે વાત કરવામાં આવી ન હતી. આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

શાકિબ અલ હસનનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું

ADVERTISEMENT
ADVERTISEMENT

જો આપણે પ્રથમ ટેસ્ટ મેચમાં શાકિબ અલ હસનના પ્રદર્શનની વાત કરીએ તો તેને બંને ઇનિંગ્સમાં એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે બેટિંગમાં પણ તે ફ્લોપ રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 32 અને બીજી ઇનિંગમાં 25 રન બનાવ્યા હતા.