ADVERTISEMENT
ADVERTISEMENT

IND vs BAN: રોહિતના ફેંસલાએ બદલ્યો ઈતિહાસ, તૂટ્યો 60 વર્ષ જુનો રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે વરસાદને કારણે રમત મોડી શરૂ થઈ હતી, તેથી માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જેમાં બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. પરંતુ સૌથી પહેલા આ મેદાન પર રોહિત શર્માએ લીધેલો એક નિર્ણય ચર્ચામાં આવ્યો છે.

રોહિતે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. છેલ્લા 60 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર કોઈ કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. આ પહેલા વર્ષ 1964માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીએ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

બીજો નવો રેકોર્ડ

ADVERTISEMENT
ADVERTISEMENT

છેલ્લા 9 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પોતાની ધરતી પર ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લી વખત આવું વર્ષ 2015માં થયું હતું જ્યારે ભારતીય ટીમે તેના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યોગાનુયોગ, તે મેચ પણ ડ્રોમાં સમાપ્ત થઈ. તમને જણાવી દઈએ કે ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે રોહિત શર્મા છેલ્લા 5 વર્ષમાં પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે જેણે ટેસ્ટ સિરીઝમાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સિરીઝમાં ભારતને લીડ

ADVERTISEMENT
ADVERTISEMENT

વર્તમાન સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. ભારતે પ્રથમ મેચમાં 280 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. બીજી મેચ જીતવી પણ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેનો ડ્રો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ભવિષ્યમાં ભારતીય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.