ADVERTISEMENT
ADVERTISEMENT

IND vs BAN Test Live: મેદાન હજુ ભીનું, અમ્પાયર્સે કર્યું નિરિક્ષણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો બીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. હવે મેચના ત્રીજા દિવસે રવિવારે મેચ શરૂ થવાની આશા છે. જો કે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. બાંગ્લાદેશે પ્રથમ દિવસે પ્રથમ દાવમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા.

કાનપુર ટેસ્ટના બીજા દિવસે શનિવારે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. દિવસભર ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસની રમત રદ્દ થતા પહેલા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોટલ જવા રવાના થઈ ગયા હતા. ત્રીજા દિવસે પણ વરસાદની આગાહી છે. તેથી મેચમાં વિક્ષેપ પડી શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT