ADVERTISEMENT
ADVERTISEMENT

પાકિસ્તાન ક્રિકેટમાં બબાલ! બાબર આઝમે છોડી કપ્તાની, સોશિયલ મીડિયા પર જણાવ્યું કારણ

પાકિસ્તાનની મર્યાદિત ઓવરોની ટીમના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. તે ODI અને T20 ટીમનો કેપ્ટન હતો. T20 વર્લ્ડકપ પહેલા જ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તાજેતરના સમયમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ટીમને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ટીમ ટી20 વર્લ્ડકપના પ્રવાસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી.

ટીમને યુએસએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ પર મર્યાદિત ઓવરોની ટીમની કેપ્ટનશીપ છોડવાનું દબાણ વધી રહ્યું હતું.

બાબર આઝમે જણાવ્યું કારણ

કપ્તાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, “હું આજે તમારી સાથે કેટલાક સમાચાર શેર કરવા માંગુ છું. મેં પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મેં ગયા મહિને PCB અને ટીમ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી હતી. આ ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું પદ છોડીને મારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરું.”

ADVERTISEMENT
ADVERTISEMENT

કેપ્ટનશીપ એક મોટું સન્માન છે અને તેની સાથે વધારાની જવાબદારી પણ આવે છે. હું મારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું મારી બેટિંગનો આનંદ લેવા માંગુ છું. હું મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું, જે મને ખુશ કરે છે. કેપ્ટન પદ છોડ્યા બાદ હું મારી બેટિંગ પર ધ્યાન આપી શકીશ. તમારા સમર્થન બદલ આભાર.

મોહમ્મદ યુસુફે પણ આપ્યું હતું રાજીનામું

ADVERTISEMENT
ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે આ પહેલા મોહમ્મદ યુસુફે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સિલેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેણે અંગત કારણો દર્શાવ્યા હતા.