- Advertisement -

ન્હાવાના પાણીમાં આ ખાસ વસ્તુઓ મિક્સ કરો, થશે કુબેર દેવની કૃપા

- Advertisement -

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે પાણીમાં અહીં જણાવેલી વસ્તુઓને ભેળવી દે તો તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તો ચાલો જાણીએ આ ખાસ વસ્તુઓ વિશે…

- Advertisement -

ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટેના ઉપાય

- Advertisement -

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર દેવી લક્ષ્‍મી તેમજ ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. જેથી તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે ધનની દેવી લક્ષ્‍મીની સાથે કુબેર દેવને પણ ધનના દેવતા માનવામાં આવે છે. ભગવાન કુબેરને પ્રસન્ન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

મીઠું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેનાથી તેની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મંગળવારે અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરવાથી દેવી લક્ષ્‍મી અને ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ સતત 6 મહિના સુધી મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેને સકારાત્મક પરિણામ જોવા મળશે.

દૂધ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોમવારે ન્હાવાના પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને સ્નાન કરે છે તો તેને માનસિક શાંતિ મળે છે. તેમજ તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. આ સિવાય ભગવાન શિવની કૃપાથી તમામ રોગો પણ દૂર થઈ જાય છે.

અત્તર

શુક્રવારે ન્હાવાના પાણીમાં અત્તર ભેળવીને સ્નાન કરવાથી ભગવાન કુબેરની કૃપાથી જીવનમાં પ્રગતિ થાય છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન તિજોરી ભરેલી રહે છે.

હળદર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ગુરુવારે હળદરના પાણીથી સ્નાન કરે છે તો તેની કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાયને ત્રણ મહિના સુધી અનુસરે છે તો તેની સંપત્તિમાં વધારો થવા લાગે છે.

મીઠું અને હળદર

જો કોઈ વ્યક્તિ શનિવારે ન્હાવાના પાણીમાં મીઠું અને હળદર ભેળવીને સ્નાન કરે છે તો શનિ મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્‍મીની કૃપા હંમેશા બની રહે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -