- Advertisement -
આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના કરશે અને ઉપવાસ કરશે. ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી મળી રહે તે ખૂબ જ જરૂરી છે. ઉપવાસ દરમિયાન વ્યક્તિએ પોષણયુક્ત નાસ્તો કરવો જોઈએ. આવી સ્થિતિમાં સાબુદાણાના પરાઠાનું સેવન કરવું જોઈએ. તે પોષણ આપવાની સાથે પુષ્કળ એનર્જી પ્રદાન કરે છે.
- Advertisement -
જાણો સાબુદાણાના પરાઠા બનાવવાની સરળ રેસીપી.
- Advertisement -
સાબુદાણાના પરાઠા બનાવવા માટેની સામગ્રી
- Advertisement -
- 1 કપ સાબુદાણા
- 2 બાફેલા બટાકા
- 3 ચમચી મગફળી
- 1/2 ચમચી છીણેલું આદુ
- 1/2 ચમચી જીરું પાવડર
- 1 ચમચી ખાંડ પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
- રોક મીઠું
- 1/4 કપ બારીક સમારેલી કોથમીર
- શેકવા માટે તેલ
સાબુદાણાના પરાઠા બનાવવાની રીત
- સાબુદાણાને સારી રીતે ધોઈને 2-3 કલાક પલાળીને રાખી દો.
- ત્યારબાદ બાફેલા બટાકાને મેશ કરીને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી લો.
- હવે તેમાં મગફળી, જીરું પાઉડર, ધાણાજીરું, આદુ, ખાંડ પાવડર, લીંબુનો રસ અને મીઠું નાખીને મસળી લો.
- ગૂંથેલા મિશ્રણનો એક નાનો ભાગ લો.
- તેને તમારી હથેળીની વચ્ચે રાખીને રોટલીનો આકાર આપો.
- હવે હથેળીઓ પર તેલ લગાવીને તેને મુલાયમ બનાવી લો.
- એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા માટે રાખો.
- તવો ગરમ થાય એટલે તેના પર રોટલી મુકીને તેલ લગાવીને બંને બાજુથી શેકી લો.
- સાબુદાણાના પરાઠા તૈયાર છે.
- તેને ફરાળી ચટણી અથવા રાયતા સાથે સર્વ કરો.
- Advertisement -