- Advertisement -

દિલજીત દોસાંઝ પરિણીત છે! ‘ચમકીલા’ એક્ટરની પત્ની અને દીકરો ક્યાં રહે છે? મિત્રએ કર્યો ખુલાસો

- Advertisement -

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ અત્યારે પોતાની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ને લઈને ચર્ચામાં છે. દિલજીત પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ રહ્યો છે. જોકે, તે પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહ્યો છે. સિંગરે તાજેતરમાં તેના માતા-પિતા સાથેના તેના તણાવપૂર્ણ સંબંધો વિશે ખુલાસો કર્યો હતો.

- Advertisement -

આ બધા વચ્ચે તે પોતાના પરિવારને લાઈમલાઈટથી દૂર રાખી રહ્યો છે.

- Advertisement -

ઘણી વખત અફવાઓ ફેલાવવામાં આવે છે કે દિલજીત પરિણીત છે. જોકે, તે તેની પત્ની અને બાળક વિશેની તમામ અટકળો પર મૌન રહે છે. પરંતુ હવે એક્ટરના મિત્રએ દાવો કર્યો છે કે દિલજીત દોસાંઝ પરિણીત છે અને તેને એક દીકરો પણ છે, પરંતુ ‘અમર સિંહ ચમકીલા’ સ્ટારે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

- Advertisement -

એક અહેવાલમાં સિંગર અને એક્ટરના મિત્રએ દિલજીત દોસાંજની પત્ની અને બાળક વિશે વાત કરી હતી. રિપોર્ટ અનુસાર, મિત્રએ દાવો કર્યો છે કે પંજાબી ગાયકની પત્ની ઈન્ડિયન-અમેરિકન છે અને તેમને એક દીકરો પણ છે. દિલજીતના મિત્રએ કહ્યું કે, “એક ખૂબ જ અંગત વ્યક્તિ, તેના પરિવાર વિશે થોડું જાણીતું છે પરંતુ મિત્રો કહે છે કે તેની પત્ની ઈન્ડિયન-અમેરિકન છે અને તેમને એક દીકરો પણ છે. જ્યારે દિલજીતના માતા-પિતા લુધિયાણામાં રહે છે.” રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની પત્ની અને દીકરો અમેરિકામાં રહે છે.

કિયારાએ પણ દિલજીતને એક્સપોઝ કર્યો હતો

ઉલ્લેખની છે કે ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશન દરમિયાન દિલજીતની કો-એક્ટ્રેસ કિયારા અડવાણીએ પણ આકસ્મિક રીતે ખુલાસો કર્યો હતો કે દિલજીત દોસાંઝને એક બાળક છે. તે સમયે એક ઇન્ટરવ્યૂમાં, કિયારાએ ઉલ્લેખ કર્યો હતો કે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં દરેકને બાળકો છે અને તે એકમાત્ર એવી છે જેને સંતાન નથી, જેનો અર્થ છે કે દિલજીત પણ પિતા છે.

દિલજીતે પોતાના માતા-પિતા વિશે આ ખુલાસો કર્યો

દિલજીતે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે તેને તેના પાપિવારિક ગામથી બહાર જવાની ફરજ પડી હતી. યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા સાથેની વાતચીતમાં, સિંગરે યાદ કર્યું હતું કે તેના માતા-પિતાએ તેને તેના કાકા (મામા જી) સાથે રહેવા મોકલ્યો હતો જેથી તે સારું જીવન જીવી શકે, પરંતુ તેઓએ તેને પૂછ્યું ન હતું કે શું તેને આ નિર્ણય સ્વીકાર છે. આ પગલાને લીધે તેના માતા-પિતા સાથેના સંબંધો તૂટી ગયા હતા. તેણે કહ્યું કે, તે હજુ પણ તેમનું સન્માન કરે છે.

દિલજીત દોસાંજ વર્કફ્રન્ટ

દિલજીતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ અમર સિંહ ચમકીલાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ સ્વર્ગસ્થ પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે. આ ફિલ્મમાં દિલજીતે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ‘ચમકીલા’માં દિલજીતે પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરી છે. આ ફિલ્મ 12 એપ્રિલે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

- Advertisement -
- Advertisement -