- Advertisement -

માતા બન્યા બાદ રૂબીના દિલૈકની યાદશક્તિ નબળી પડી! કહ્યું- ‘કોઈપણ વસ્તુ યાદ રાખવા માટે ડાયરીમાં લખું છું’

- Advertisement -

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રૂબીના દિલૈક માતા બન્યા બાદ પોતાની મધરહુડ જર્નીની વાતો ચાફેન્સ સાથે શેર કરતી રહે છે. જોડિયા બાળકોની માતા રૂબીના હંમેશા તેના ફેન્સ માટે સમય કાઢે છે.

- Advertisement -

રૂબીના દિલૈક બાળકોને જન્મ આપવા સુધી અને તે પછી થતા ફેરફારો વિશે વાત કરતી જોવા મળી છે. હાલમાં અભિનેત્રી મધરહુડ જર્ની માણી રહી છે. માતા બન્યા પછી, અભિનેત્રીએ ‘કિસી ને બતાયા નહીં’ શો શરૂ કર્યો, જેમાં તે સેલેબ્સ સાથે વાતચીત કરતી જોવા મળે છે.

- Advertisement -

તાજેતરમાં કોમેડિયન સુગંધા મિશ્રા રૂબીનાના શોમાં ગેસ્ટ તરીકે આવી હતી. બંને અભિનેત્રીઓએ માતા બન્યા બાદ તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે એકબીજા સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે સુગંધા મિશ્રાને એક સુંદર દીકરી છે. તેણે ડિસેમ્બર 2023માં પુત્રીને જન્મ આપ્યો હતો. જ્યારે રૂબીના નવેમ્બરમાં માતા બની હતી.

- Advertisement -

રૂબીનાના શોમાં તેણે મધરહુડનો અનુભવ શેર કર્યો. શોની શરૂઆતમાં જ રૂબીનાએ ખુલાસો કર્યો હતો કે જ્યારથી તે માતા બની છે ત્યારથી તે ઘણી બધી બાબતો ભૂલી જાય છે. તેને યાદ નથી રહેતું કે તેણે કોને ફીડ કર્યું છે. તેથી હવે તેણે ડાયરીમાં લખવાનું શરૂ કર્યું કે, કોને પહેલા ફીડીંગ કરાવ્યું છે.

રૂબીનાએ કહ્યું કે, “જયારે કોઈ સ્ત્રી એકવાર મા બની જાય તો તે પહેલાની લાઈફ પાછી ફરી શકતી નથી. આ સમયે મારી માતાએ મને ઘણો સાથ આપ્યો છે.”

માતા બનવાના અનુભવ અંગે કોમેડિયન સુગંધા મિશ્રાએ કહ્યું કે, જ્યાં સુધી હું મા બની ન હતી ત્યાં સુધી મને આ સરળ લાગતું હતું, પરંતુ હવે મને ખબર પડી છે કે કંઈ પણ સરળ નથી. ઊંઘવાનો સમય પણ રોજ બદલાય જાય છે. પહેલા ફ્રી માઈન્ડથી કંઈપણ કરી શકતા હતા, પરંતુ હવે કોઈ વસ્તુ સરળ નથી.

તમને જણાવી દઈએ કે રૂબીનાએ 27 નવેમ્બરે ટ્વીન્સને જન્મ આપ્યો હતો. તેણે તેની પુત્રીઓનું નામ એધા અને જીવા રાખ્યું છે.

- Advertisement -
- Advertisement -