- Advertisement -

કમર પરથી પણ ફટાફટ ઓગળશે ચરબી, ઘરે જ તૈયાર કરો આ ખાસ પ્રકારની ચમત્કારિક ચા

- Advertisement -

આપણા દેશમાં સદીઓથી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ગુણધર્મોને કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં પણ મૂકવામાં આવી છે. હળદરનો ઉપયોગ રસોઈમાં, કોસ્મેટિક અને દવાઓમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કમરની ચરબી ઘટાડવા માટે પણ કરી શકાય છે.

- Advertisement -

હળદરમાં હાજર છે ઘણા પોષક તત્વો
હળદરમાં પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર હોય છે.

- Advertisement -

પરંતુ શું તમે જાણો છો કે હળદર ફક્ત તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર નથી પરંતુ તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક છે. દરરોજ એક કપ હળદરની ચા તમારું વજન ઘટાડી શકે છે.

- Advertisement -

આ રીતે બનાવો હળદરની ચા
એક તપેલીમાં થોડું પાણી લો. તેમાં આદુ અને હળદર પાવડર નાખો. હવે તને ઉકળવા દો. જ્યારે તે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ કપમાં ગાળી લો અને આ ચાને સર્વ કરો.

હળદરની ચાના ફાયદા

  1. શરીરમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હોય, આ ચા તેને દૂર કરવામાં અસરકારક છે.
  2. આ ચાથી મેટાબોલિક સિન્ડ્રોમ અટકે છે. આ સિન્ડ્રોમ સ્થૂળતા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. મેટાબોલિક ફેરફારોને કારણે પેટની આસપાસની ચરબી વધે છે.
  3. હળદરની ચા કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડે છે. સાથે જ શરીરમાં બ્લડ શુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.
  4. આના કારણે પાચનક્રિયા સારી રહે છે. સારી પાચનક્રિયાથી ગેસ, બ્લોટિંગ જેવી સમસ્યાઓ થતી નથી.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -