- Advertisement -

અમર ​સિંહ ચમકીલા બાદ આવેલા પરિવર્તન વિશે પરિણીતિએ કહ્યું…

- Advertisement -

પરિણીતિ ચોપડાની ‘અમર સિંહ ચમકીલા’ ૧૨ એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં પરિણીતિએ પોતાના રોલ માટે ૧૬ કિલો વજન વધાર્યું હતું. આ રોલ માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરિણીતિએ જણાવ્યું કે હવે ડિરેક્ટરો મારી સાથે કામ કરવા માટે સામે ચાલીને કૉલ કરે છે. આ ફિલ્મ બાદ આવેલા પરિવર્તન વિશે પરિણીતિ કહે છે, ‘આ ફિલ્મ બાદ મારી સાથે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે કે મને ફિલ્મમેકર્સના સામેથી કૉલ્સ આવે છે.

- Advertisement -

તેઓ કહે છે કે આ ફિલ્મમાં અમે તને જે રીતે જોઈ છે એવી અગાઉ કદી નથી જોઈ. હવે તેઓ મને આવી જ સ્ક્રિપ્ટ મોકલે છે અને આવા રોલ પણ ઑફર કરે છે. એ ડિરેક્ટરો પણ મને કૉલ કરે છે જેમણે કદી વિચાર્યું નહોતું કે તેઓ મારી સાથે કામ કરી શકે છે. હવે વાતાવરણ એકદમ અલગ છે. તેમને પણ અહેસાસ થયો છે કે મેં એક સફળ ફિલ્મ કરી છે.’

- Advertisement -
- Advertisement -