ચોમાસાની ઋતુ ખૂબ જ આહલાદક હોય છે. આ સિઝનમાં લોકો ફરવાનું અને ખૂબ એન્જોય કરવાનું પસંદ કરે છે. પરંતુ આ ઋતુ પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ સિઝનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય છે. એટલું જ નહીં ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે, જેના કારણે શરદી-ખાંસી વગેરે થવા લાગે છે. વાસ્તવમાં, આ બધી સમસ્યાઓ ખાવાની ખરાબ આદતોને કારણે પણ થઈ શકે છે.
આ સિઝનમાં તમારે શાકભાજીનું ખાસ ધ્યાન રાખવું પડશે. નિષ્ણાતો કહે છે કે આ સિઝનમાં અમુક એવા શાકભાજી છે જેને ખાવાથી બચવું જોઈએ કારણકે તે શાકભાજી સિઝનલ બિમારીઓ કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ
પાંદડાવાળા શાકભાજી : વરસાદના પાણી પાકની વૃદ્ધિ, જીવાતો અને રોગો પર અસર કરે છે. ભેજ અને ગંદકીના કારણે લીલા પાંદડાવાળા શાકભાજીના દૂષિત થવાનું જોખમ વધી જાય છે. આ દિવસોમાં પાલક અને કોબી જેવા શાકભાજી ન ખાવાનું સારું છે. આ સિવાય મળતી અલગ અલગ ભાજી તેમજ ધાણા જેવા શાકભાજી પણ ખાવાથી બચો.
રીંગણા : રીંગણાનો જાંબલી રંગ બલ્બ આલ્કલોઇડ નામના રસાયણોના વર્ગનો બનેલો છે. વરસાદની મોસમમાં આવા પાકો જંતુઓ અને અન્ય જીવાતોથી પોતાને બચાવવા માટે આ ઝેરી સંયોજન ઉત્પન્ન કરે છે. વરસાદની ઋતુમાં જ્યારે જીવાતોનો ઉપદ્રવ સૌથી વધુ હોય ત્યારે રીંગણનો વપરાશ ઓછો કરો. આલ્કલોઇડ્સથી તમને એલર્જી, શિળસ, ત્વચા પર રિએક્શન, ઉબકા અને ફોલ્લીઓનું કારણ બની શકે છે.
રંગબેરંગી કેપ્સીકમ : તેમાં કોઈ શંકા નથી કે કેપ્સિકમ એક સ્વાદિષ્ટ શાક છે અને તે વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે. પરંતુ તે ચોમાસામાં સમસ્યા સર્જી શકે છે. તેમાં ગ્લુકોસિનોલેટ્સ નામના રસાયણો હોય છે જે કાપવા અથવા ચાવવામાં આવે ત્યારે આઇસોથિયોસાયનેટ્સમાં તૂટી જાય છે. જ્યારે કાચા અથવા રાંધવામાં આવે છે, ત્યારે આ રસાયણો ઉબકા, ઉલટી, ઝાડા અને શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે.
ફુલાવર : ફુલાવરમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત, ચોમાસામાં ફુલાવર ટાળવાનું મુખ્ય કારણ એ છે કે તેમાં ગ્લુકોસિનોલેટ્સ નામના સંયોજનો હોય છે જે એલર્જી અથવા તેના પ્રત્યે સંવેદનશીલ લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે. આ રાસાયણિક સંયોજનોને ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમને બિલકુલ ન ખાવું. આ સાથે વરસાદની સિઝનમાં તેમાં કીડા પણ જલદી પડી જાય છે આથી તેને ચોમાસા પુરતા અવોઈડ કરો.
વરસાદની ઋતુમાં ખાવ આ શાકભાજી : વરસાદમાં તમે દૂધી, મૂળા, કાકળી, કારેલા, કંકોળા, કોળું સહિત ટામેટા, ભીંડા જેવા શાકભાજીનો પણ સમાવેશ કરી શકો છો. તમે આ શાકભાજીને તમારા આહારમાં નિયમિતપણે ઉમેરી શકો છો. તે પેટ માટે ખૂબ જ સારા છે અને તમને સિઝનલ બિમારીઓથી પણ બચાવશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.