- Advertisement -
નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. એવામાં ફરાળમાં દરરોજ શું બનાવવું તે ખબર નથી પડતી તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફરાળી મોરૈયાની ખીચડી. આ બનાવવી જેટલી સરળ છે એટલી જ સ્વાદિષ્ટ પણ છે.
- Advertisement -
સામા ખીચડી માટેની સામગ્રીઃ
- Advertisement -
- 1 કપ મોરૈયા,
- 3 ચમચી અધકચરા સીંગદાણા,
- 3 ચમચી ઘી,
- 1 બટાકાના નાના ટુકડા,
- સ્વાદ મુજબ મીઠું,
- 4 ચમચી દહીં,
- 1/2 ટીસ્પૂન જીરું,
- 1/2 ચમચી ગરમ મસાલો,
- 1 લવિંગ,
- 1 તજનો ટુકડો,
- 8-10 લીમડો,
- દોઢ કપ પાણી,
- 1 લીલું મરચું,
- ધાણાની પેસ્ટ
મોરૈયાની ખીચડી બનાવવાની રીત:
- સૌથી પહેલા મોરૈયો ધોઈ લો અને બધી સામગ્રી તૈયાર રાખો.
- કૂકરમાં ઘી ગરમ કરી જીરું અને તજ ઉમેરો.
- પછી લીમડો અને અધકચરા સીંગદાણા ઉમેરો.
- સીંગદાણા સોનેરી રંગની થાય ત્યાં સુધી પકાવો.
- મરચાં અને ધાણાની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો.
- બટાકા, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. સારી રીતે ભેળવી દો.
- હવે મોરૈયો, દહીં અને પાણી ઉમેરો અને ત્રણ સીટી સુધી પકાવો.
- મોરૈયાની ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.
- Advertisement -